સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે કટોકટી દિવસ નિમિત્તે પુર્વ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

તા.26/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે કાળા દિવસ કટોકટી અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા કાળા દિવસ અંગે માહિતગાર કર્યાં હતાં આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પી. કે પરમાર, શામજીભાઈ ચૌહાણ તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા તેમજ કાર્યકર મિત્રો ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ રાણાને એ ૧૯૭૫ માં દેશ માં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરી, માનવ અધિકારનુ હનન, દેશવાસીઓ પર અત્યાચાર, મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવા અનેક કટોકટી દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.




