ગોધરા:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું હતું.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન સુવિધા સજ્જ પોલીસમ નિર્દેશક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા પ્રભારી તથા શિક્ષણ અને આદિજાતિ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાણી, શ્રી મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડાશ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશકશ્રી આર.વી.અસારી, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશુ સોલંકી સહિત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.