PANCHMAHALSHEHERA

ગુજરાત પાઠ્ય પુસ્તકાલય વડોદરા દ્વારા ખાડિયા પ્રાથમિક શાળામાં નિશુલ્ક પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા 

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ગુજરાત પાઠ્ય પુસ્તકાલય વડોદરા ના કારોબારી સભ્ય શ્રીમતી સ્મિતાબેન વિનાયક ભાઈ શુક્લ દ્વારા શાળાના બાળકોના મૂલ્ય શિક્ષણ અભિવૃદ્ધિ થાય તેવા ઉમદા હેતુથી ખાડીયા પ્રાથમિક શાળામાં 140 પુસ્તકો શાળાને નિશુલ્ક અર્પણ કરેલ છે .આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વિકસતી રહે તેવી શુભકામનાઓ . તેમજ આજરોજ બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી કે ઓછામાં ઓછો એક કલાક પ્રેરણાદાયી પુસ્તકો વાંચી શું અને જીવનમાં ઉતારીશું . સ્કૂલની શિક્ષિકા શ્રીમતિ શિવાંગીબેન પાઠક દ્વારા શ્રીમતી સ્મિતાબેન શુકલ નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું . શાળાના આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ દ્વારા પુસ્તક નું જીવનમાં મહત્વ વિશે બાળકોને સમજણ આપી તથા સ્મિતાબેન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!