PANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૭૩.૬૦% પરિણામ

 

*પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, ગુરૂવાર ::*

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં ધોરણ-૧૦ એસ.એસ.સી ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પંચમહાલ જિલ્લામાં કુલ ૩૪ કેંદ્રો ખાતે યોજાયેલ ધોરણ-૧૦ એસ.એસ.સી પરીક્ષામાં જિલ્લાના કુલ ૨૧,૬૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૫,૯૦૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણૅ થયા છે. આમ પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ ની પરીક્ષાનું ૭૩.૬૦% પરિણામ આવ્યું છે. જિલ્લાના કુલ ૩૪ કેંદ્રો પૈકી કાલોલ(પંચ)-૫૯૦૩ કેંદ્રનું પરીણામ સૌથી વધુ ૯૨.૮૬% આવ્યુ છે અને સુરેલી(શહેરા)-૫૯૩૪ કેંદ્રનું પરીણામ સૌથી ઓછું ૪૯.૭૫% આવ્યુ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

 

Back to top button
error: Content is protected !!