હાલોલ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે મહાન સંત પ. પૂ.દાદા ગુરૂની પધરામણી, નારાયણ ભક્તજનોએ દર્શન સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૪.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના પાવાગઢની તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ નારાયણ ધામ શ્રી નારાયણધામ આઈ હોસ્પિટલ હોલ તાજપુરા ખાતે આજે મંગળવારના રોજ નર્મદા ઉપાસક મહા યોગી અખંડ નિરાહારી વ્રતધારી સંત પ.પૂ.દાદાગુરૂ ની પધરામણી થઈ હતી.આ ગરિમામય પ્રસંગે નારાયણ ભક્તજનોએ મોટી સંખ્યામાં દર્શન સત્સંગ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મહાન સંત દાદાગુરૂ તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં શ્રી વિરાટ નારાયણ વન ખાતે વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.જેમાં પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર, શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપુર્ણા ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશભાઈ રાજગોર, જયંતિભાઈ પંચાલ, સુનિલભાઈ શાહ, સહિત અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નારાયણ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.