તા.૨૬.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે.ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે.ભારતના બંધારણમાં સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશ્યાલિસ્ટ (સમાજવાદ) શબ્દોનો ઉમેરો ૧૯૭૬ની ભારતીય કટોકટી દરમિયાન ૪૨મા સુધારા વખતે કરવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.જેમાં આજરોજ તા.૨૬.૧૧.૨૦૨૪ ના રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર ચોક દાહોદ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં પર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુસ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના આં કાર્યક્રમમાં માજી સાંસદ.માજી ધારાસભ્યો.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારઓ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારઓ શહેર/ તાલુકાના પ્રમુખઓ અને હોદ્દેદારઓ જિલ્લા /તાલુકા શહેરના ફ્રંટલ ના પ્રમુખઓ તથા હોદ્દેદારઓ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સભ્યો.તાલુકા પંચાયતના સભ્યો.દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર અને સરપંચો.દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક કાર્યકર્તા ઓને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા