ભરૂચ ખાતે પ્રભારી મંત્રીશ્રીના કુંવરજીભાઈ હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો*

*વિકાસ સપ્તાહ- ભરૂચ*
****
*


****
સમીર પટેલ, ભરૂચ
નવા વિકાસના આયામો, વિકાસની પહેલને વેગવાન બનાવી તેમણે ભારતભરમાં ગુજરાતને રોલ મોડેલ સ્થાપિત કર્યું
ગુજરાતમાં વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. તેમ જણાવી મુદ્દુ અને મક્ક્મ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સફળ સુકાની તરીકેની ઉપમા આપતા મંત્રીશ્રી
પ્રભારી મંત્રીશ્રીના કુંવરજીભાઈ હળપતીના વરદ હસ્તે જિલ્લાના રૂા.૯૬.૧૭/- કરોડના કુલ ૫૭૯ કામો પૈકી રૂા.૭૧.૬૯/- કરોડના ૩૩૯ કામોનું ખાતમુહુર્ત અને ૨૪.૪૮/- કરોડના ૨૪૦ જેવા વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું*
****
ભરૂચ- સોમવાર – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેરજીવનમાં પુરા કરેલા ૨૩ વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યક્ષસ્થાને આજરોજ જે.પી. કોલેજ ભરૂચ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
વિકાસ સપ્તાહ ઉજવણી અંગે વિગતે છણાવટ કરતા મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જાહેરજીવનમાં ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. જેના ઉપલક્ષમાં રાજયમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત મહાનુભાવોના હસ્તે આજરોજ ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાન્ય વહિવટ વિભાગ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મળી રૂા.૯૬.૧૭/- કરોડના કુલ ૫૭૯ કામો પૈકી કુલ રૂા.૭૧.૬૯/- કરોડના ૩૩૯ કામોનું ખાતમુહુર્ત તેમજ કુલ ૨૪.૪૮/- કરોડના ૨૪૦ કામોનું લોકાર્પણ કરી રિમોર્ટ દ્નારા ઈ- તક્તિનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીએ પોતાની પ્રસંન્ના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ૨૦૦૧ના વર્ષથી ગુજરાતની ધુરા શ્રી નરેન્દ્ર મોદીએ સંભાળી અને ભારતના યશસ્વી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની સફરમાં અનેક નવા વિકાસના આયામો, વિકાસની પહેલને વેગવાન બનાવી તેમણે ભારતભરમાં ગુજરાતને રોલ મોડેલ સ્થાપિત કર્યું છે.
આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાઈ રહી છે, અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. અને હાલ પણ વિકાસની રાજનીતીના યજ્ઞને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ઘપાવી રહ્યા છે.
મુદ્દુ અને મક્ક્મ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની કામ કરવાની આગવી વિશેષતાઓ વિશે વાત કરતા ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. તેમ જણાવી તેમને સફળ સુકાની તરીકેની ઉપમા મંત્રીશ્રીએ આપી હતી.આપણા યશસ્વી વડાપ્રધાનને નવા આયામોની સ્થાપના કરી ભારતને નવી દીશા અને રાહ ચિધ્યાં છે.
વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ભારત દેશની અન્ય વિકસિત દેશોની હરોળ ગણના કરવામા આવે છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ વ્યક્ત કરી હતી. જે આજે સાકાર થવા જઇ રહી છે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૧૧માં ૧૧ માં સ્થાને હતી તે હવે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધીમા ભારતની ઇકોનોમી નંબર એક પર હશે. તેમ પણ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.
તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૩મા વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ, જી-૨૦ સમિટ,વાઈબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ ગુજરાત જેવા નવીન પરિણામલક્ષી કામોને પરિણામે આજે ગુજરાતમા સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમા સેમિકન્ડક્ટર હબ અને ઉદ્યોગો સ્થાપવાના કારણે અનેક રોજગારીનું સર્જન થયું છે.
જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે. સરકાર હંમેશા આદિવાસીઓની પડખે રહી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ હંમેશા આદિવાસીઓના પડખે રહી છેવાડાના લોકોના વિકાસકીય કામો માટે ચિંતા કરતા હોય છે. એટલે જ આપણા વિસ્તારોમાં સુખાકારી વધતી રહે તે માટે આદિજાતી વિભાગનું બજેટ લગભગ ૪૭૭૪ કરોડનું છે. એટલે જ આવનાર ભવિષ્યમા હજી વધુ વિકાસના કામો કરવામા આવશે, તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ.
વનબંધુ કલ્યાણ યોજના થકી આદીવાસી યુવાનો પણ ડોક્ટર, એન્જીનિયર બની શક્યા છે. અને વિદેશ અભ્યાસ માટે પણ અલગથી રાજ્ય સરકારે જોગવાઈ કરી છે. ત્યારે સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓ વિશે તેમણે વાત કરી હતી. અને વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે માહિતી નિયામકશ્રી દ્વારા તૈયાર કરેલ વિકાસ સપ્તાહની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ તકે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ભરૂચ જિલ્લાના ડીડીઓશ્રી યોગેશ કાપસે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ તમામ કામોના કારણે સામાન્ય જનની સુખાકારીમાં અવશ્ય સુધારો આવશે.
આ તકે, દેશભરમાં ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના સૂત્ર સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. જેને અનુસંધાને સ્વચ્છતાના શપથ ગ્રહણ કરી ભરૂચને સ્વચ્છ રાખવા ઉપસ્થિત સૌએ શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાએ પણ પ્રાસંગિગ ઉદ્બોધન કર્યું હતું. અને ભરૂચના ધારાસભ્યશ્રીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશના સવોચ્ચ પદ પર રહીને છેલ્લા ૨૩ વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રજાની પડખે, પ્રજા માટે અવિરત કામ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ઔતિહાસિક પગલાં અને નિતિઓને કારણે અનેક પરિવર્તનો આવ્યા છે.
આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપશે, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી વિભુતીબા યાદવ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કોશિક પટેલ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ અઘ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રાયસિંગભાઈ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ, ડીઆરડીએના નિયામક, તાલુકા અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, સામાન્ય વહિવટ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા સરપંચો, ગ્રામજનો અને નગરજનો હાજર રહ્યા હતા.
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભરૂચ દ્રારા રૂા.૯૬.૧૭/- કરોડના કુલ ૫૭૯ કામો પૈકી કુલ રૂા.૭૧.૬૯/- કરોડના ૩૩૯ કામોનું ખાતમુહુર્ત તેમજ કુલ ૨૪.૪૮/- કરોડના ૨૪૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેની ટુંકી વિગતો નીચે પ્રમાણે છે.
૧). માર્ગ અને મકાન વિભાગનાં રૂા.૬૪.૦૪/- કરોડના ૮ કામો પૈકી કુલ રૂા.૪૮.૦૪/- કરોડના ૬ કામો ખાતમુહૂર્ત તથા કુલ રૂા. ૧૬.૦૦/- કરોડના ૨ કામોનું લોકાર્પણ
૨) નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ રૂા.૯.૭૩/- કરોડના ૧ કામનું ખાતમુહૂર્ત
૩) પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિભાગના કુલ રૂા.૭,૪૬/- કરોડના કુલ ૩૦૨ કામો પૈકી કુલ રૂા.૪.૬૨/- કરોડના ૧૭૮ કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ રૂા.૨.૮૪/- કરોડના ૧૨૪ કામો લોકાર્પણ.
૪) શિક્ષણ વિભાગના કુલ રૂા.૭.૦૬/- કરોડના કુલ ૬ કામો પૈકી કુલ રૂા.૫.૧૯/- કરોડના ૫ કામો ખાતમુહૂર્ત તેમજ કુલ રૂા.૧.૮૭/- કરોડના ૧ કામોનું લોકાર્પણ
૫ ) સામાન્ય વહિવટ વિભાગના કુલ રૂા.૫.૩૬/- કરોડના કુલ ૨૫૯ કામો પૈકી કુલ રૂા.૩.૦૦/- કરોડના ૧૪૭ કામો ખાતમુહૂર્ત તેમજ કુલ રૂા.૨.૩૬/- કરોડના ૧૧૨ કામો લોકાર્પણ.
૬) પ્રવાસન વિભાગના રૂા.૧.૪૧/- કરોડના ૧ કામ લોકાર્પણનું
૭) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂા.૧.૧૧/- કરોડના ૨ કામોનું ખાતમુહૂર્ત
માર્ગ અને મકાન, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, શિક્ષણ, સામાન્ય વહિવટ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વગેરે વિવિધ વિભાગના કામોનું ખાતમુહુર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
****



