Navsari: વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ૧૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા
MADAN VAISHNAVSeptember 2, 2024Last Updated: September 2, 2024
25 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લા તથા ઉપરવાસમાં અનરાધાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની પુરેપુરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે. વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સરા ગામમાં ગામીત ફળિયામાં તથા ખંભાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતુ. વાંસદા તાલુકા તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના ૧૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVSeptember 2, 2024Last Updated: September 2, 2024