GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે કાશ્મીરના પહેલગામમાં હિન્દુ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન-પૂતળાં દહન
તારીખ ૨૫/૦૪/૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ તારીખ 22/04/2025 નાં રોજ કાશ્મીરના પહેલગામમાં હિન્દુ યાત્રીઓ પર થયેલ અંધાધુંધ ગોળીબારની ઘટનામાં 28 થી વધુ હિન્દુ પ્રવાસીઓના કત્લેઆમના વિરોધમા બુધવાર ના રોજ રાત્રે ૯ કલાકે સુપેડા હોસ્પિટલ સામે મેદાનમાં, સ્ટેશન રોડ ખાતે કાલોલ ખાતે શ્રદ્ધાંજલિ તેમજ વિરોધ પ્રદર્શન તેમજ પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં કાલોલની તેમજ પંચમહાલ જિલ્લાના સૌ હિન્દુ સનાતનીઓ, ધાર્મિક અને સામાજિક સંગઠનો તથા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ કાલોલ પ્રખંડ આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભારે સુત્રોચાર કરી આતંકવાદ નો વિરોધ કરવામાં આવ્યો હતો.