વઢવાણના પીર વડલામા બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 94,000 થી વધુની ચોરી
તા.12/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વઢવાણના વાઘેલા રોડ પર આવેલી પીરવડલા સોસાયટીમાં રહેતા 34 વર્ષીય હાજી મહમ્મદ ઈસ્માઈલભાઈ લાડકા મજુરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેઓનું સાસરૂ ભાવનગર હોવાથી પરીવારજનો ત્યાં ગયા હતા જયારે તા. 9 ના રોજ તેઓ પણ વઢવાણથી ટ્રેન દ્વારા ભાવનગર ગયા હતા ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો તેમના ઘરે ત્રાટકયા હતા તસ્કરોએ રહેણાક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો ભાવનગરથી હાજી મહમ્મદભાઈ ઘરે આવતા તેઓને ચોરીની જાણ થઈ હતી અને તપાસ કરતા ઘરમાં સામાન વેરવીખેર પડયો હતો અને તીજોરીમાં રૂપીયા 94, 250 ના સોના ચાંદીના ઘરેણા ચોરાયા હતા બનાવની જાણ થતા વઢવાણ પીએસઆઈ ડી. ડી. ચુડાસમા સહીતનો પોલીસ કાફલો ડોગ સ્કવોડ સાથે ધસી ગયો હતો આ અંગે વઢવાણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે હાજી મહમ્મદ ઈસ્માઈલભાઈ લાડકા ફરીયાદ નોંધાવી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.