Rajkot: ૭૨-જસદણ વિધાનસભામાં વૃધ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ, સિગ્નેચર કેમ્પેઈન યોજાયા
તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે ૭૨- જસદણ વિધાનસભા વિસ્તારમાં આવેલ રામેશ્વર ધામ વૃધ્ધાશ્રમ ખાતે ભાગવત સપ્તાહ દરમિયાન “મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌ સિનિયર સિટીઝન અને અન્ય ભાવિક ભકતોને આગામી લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મહિલા મતદારો માટે “સિગ્નેચર કેમ્પેઈન”નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પેઈનમાં મતદાનની ટકાવારી વધે, લોકો ઉત્સાહભેર મતદાન કરે તેમજ મહિલાઓને બૂથ પર જઈ મતદાનમાં ભાગીદારી વધારવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને મતદારોએ મતદાર જાગૃતિ ઝુંબેશમા જોડાવા ઉમંગ દર્શાવ્યો હતો તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.