GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોટડાસાંગાણીના ખરેડા ગામે મનરેગા યોજનાનાં શ્રમિકો સાથે મુલાકાત કરી: કામનાં સ્થળે ઉપલબ્ધ સુવિધાઓનું કર્યું નિરીક્ષણ

તા.૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ કોટડાસાંગાણીના ખરેડા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ગામનાં તળાવની કામગીરીમાં જોડાયેલા મનરેગા યોજના અંતર્ગત કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી કામના સ્થળે શેડ, પાણી, આરોગ્ય વિગેરે વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

મનરેગા યોજના અંતર્ગત તળાવો, નદી ઊંડા કરવા સહિતની કામગીરી જિલ્લામાં હાથ ધરાઈ રહી છે. આ કામગીરી સાથે જોડાયેલા શ્રમિકોને સ્થળ પર પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળી રહે તેવા ઉમદા પ્રયાસોથી મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત જન સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી રિધ્ધીબેન પટેલ,મેડિકલ ઓફિસરશ્રી અંકિત ગોંડલીયા, ડૉ. માધવીબેન પંડ્યા, સરપંચ શ્રી ગીતાબેન ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિકભાઈ સરતેજા, મનરેગા ડીડીપીસીશ્રી સંજયભાઈ સહિત મનરેગા સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!