Rajkot: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૦૬ માં પ્રવેશ અરજી કરવા અંગે
તા.૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ માટે સત્ર ૨૦૨૫ -૨૬ માટે પસંદગી કસોટી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પરીક્ષા આપવા માટેની પાત્રતા ધરાવતા ઉમેદવારો રાજકોટ જિલ્લાના રહેવાસી હોવા જોઇએ અને સરકારમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫માં ધોરણ પાંચમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ. ધોરણ ત્રણ અને ચાર સંપૂર્ણ શિક્ષણ સરકારી શાળામાં લીધું હોવું જરૂરી છે.
નવોદય વિદ્યાલયમાં ઓછામાં ઓછી ૭૫ ટકા બેઠકો ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. સરકાર મુજબ એસ.પી.સી અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત ધોરણ રાખવામાં આવ્યા છે. ઓછામાં ઓછી ૧/૩ બેઠકો કન્યા વિદ્યાર્થીઓ માટે અનામત છે. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દરેક જિલ્લામાં સહ શૈક્ષણિક નિવાસી શાળા, છોકરીઓ છોકરાઓ માટે અલગ હોસ્ટેલ, મફત શિક્ષણ બોર્ડ અને રહેવાની સુવિધા, સ્થળાંતર યોજના દ્વારા વ્યાપક સાંસ્કૃતિક વિનિમય રમતગમત, એન.સી.સી એન.એસ.એસ જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
પરિણામમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવે છે.જેમાંથી સીબીએસસી ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ મળ્યું છે. નવોદયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ લેવામાં આવશે.જે માટેની ઓનલાઈન અરજી https://www.navodaya.gov.in/ પર જઈ કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી છે.તેમ જવાહર નવોદય વિદ્યાલય તરઘડી રાજકોટની યાદીમાં જણાવવામા આવ્યું છે.