Rajkot: રાજકોટના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ -૨૦૨૬’ જાહેર કરતા જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ

તા.૨૪/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
લોકમેળાના નામકરણ માટે આવેલા ૪,૪૦૦ જેટલા સૂચનોમાંથી ‘વિરાસતથી વિકાસ -૨૦૨૬’ નામની પસંદગી
Rajkot: રાજકોટની પ્રજા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે, તે ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમી મેળાના સત્તાવાર નામની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને સમિતિના અધ્યક્ષ શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નામની આજે જાહેરાત કરવામાં આવી હતી.

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને પ્રતિબિંબિત કરતાં હોય તેવા ૪,૪૦૦ જેટલા સર્જનાત્મક સૂચનો પ્રાપ્ત થયા હતા. મેળાના નામ માટેના સૂચનો પૈકી
આખરે ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ ને પસંદ કરવામાં આવ્યું છે. આ નામનું સૂચન રાજકોટના શ્રી અજયભાઈ રતિભાઈ કુકડીયા દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં રાજકોટના લોકમેળાના ‘આઝાદી કા અમૃત’, ‘રસરંગ’, ‘ધરોહર’, ‘શૌર્યનું સિંદૂર’ જેવા રસપ્રદ નામ રાખવામાં આવ્યા હતા.


