
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા : અરવલ્લી કૃષિ વિકાસ ફાર્મર પ્રો. કંપની રેલ્લાંવાડા દ્વારા ખેડૂતો સાથે સંવાદ કરી ખેતીને લગતી ચર્ચા કરાઈ

અરવલ્લી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની રેલ્લાંવાડા દ્વારા ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતો માટેના વિવિધ પ્રશ્નો ઉજાગર કરી કંપની સાથે જોડાવાથી ખેડૂતોને થતા ફાયદાઓ ની ચર્ચા કરવામાં આવી હતી જેમાં મેઘરજ તાલુકાના પાદરમહુડી, શાંતિપુરા, ધાંધિયા ગામે આશરે 150 જેટલા ખેડૂતો સાથે ચર્ચા કરી કંપની સાથે જોડાવાના વિવિધ લાભો તેમજ ખેતીને લગતા લાભો સહીત બાગાયતી ખેતી અને સરકાર ની વિવિધ યોજનાઓ ની સમજ આપી હતી આ સાથે કંપનીમાં 100 જેટલા નવીન સભાસદો જોડાયા હતા કંપનીના CBBO મનીષાબેન ગામીત, BOD બાબુભાઇ તેમજ શૈલેન્દ્રસિંહ ઝાડેજા ઉપસ્થિત રહ્યા હતા





