Halvad:હળવદના ડૉ. ચતુરભાઈ અને વિશાલ જયસ્વાલએ પત્રકારત્વની ડીગ્રી મેળવી
Halvad:હળવદના ડૉ. ચતુરભાઈ અને વિશાલ જયસ્વાલએ પત્રકારત્વની ડીગ્રી મેળવી
પ્રજાના પ્રશ્નોને વાચા આપતા એવા પત્રકારને લોકશાહીના ચોથો સ્તંભ ગણવામા આવે છે જેથી પત્રકારોની ફરજો અને જવાબદારી પણ વધી જાય છે અને લોકોના ભરોસા પર ખરાં ઉતરવા નિષ્પક્ષ અને ખરાં નિર્ણય લેવા પડે છે ત્યારે નિર્ભયતાથી પત્રકાર ક્ષેત્રે જોડાયેલા હળવદના બે યુવાઓએ જર્નાલીઝમની ડિગ્રી મેળવી છે જેમાં ડૉ ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે BJMC એટલે કે બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો કોર્ષ રાજકોટમાં કરીને પત્રકાર તરીકેની ડિગ્રી મેળવી છે આમતો ડૉ. ચતુરભાઈ ગુજરાત મિરર દૈનિક ન્યુઝ પેપર અને વિશાલભાઈ જયસ્વાલ સાંજ સમાચારમાં હળવદના પ્રતિનિધિ તરીકે ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યાં છે ત્યારે ગતકાલે જાહેર થયેલા BJMC એટલે કે બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના પરીણામમા પાસ થતાં બન્ને યુવા પત્રકાર મિત્રોને સોશિયલ મિડિયા અને લોકો ખૂબ ખૂબ શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.