GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેર ખાતે સપ્ટેમ્બર માસના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું.

 

WANKANER વાંકાનેર ખાતે સપ્ટેમ્બર માસના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું.

 

 

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશ ભટ્ટ અને હાર્દિકભાઈ સોલંકી, ડૉ. ડાહ્યાલાલ પરબતાણી, ડૉ. નવીનચંદ્ર સોલંકી, મહાવીરસિંહ ઝાલા દ્વારા પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર – ૨૦૨૪ના પ્રથમ રવિવારે યોજાયેલ આ પુસ્તક પરબમાં વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ. મયૂરરાજસિંહ પરમાર સાહેબ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબ, વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક હસમુખ મકવાણા સાહેબ અને રમેશ ડાભી સાહેબ, ગારીડા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ ડેંગળા સાહેબ, પીપળીયારાજ તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય અબ્દુલ રહીમ બાવરા સાહેબ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી ધવલભાઈ મહેતા તથા વાંકાનેર તાલુકાના અનેક શિક્ષકો અને જસદણ સિરામિકના માલિક પ્રજ્ઞેશભાઈ પટેલે પુસ્તક પરબમાં હાજર રહીને પુસ્તક પરબની ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. આ પુસ્તક પરબના દાતાઓ અલ્પેશભાઈ પટેલ, દીપકસિંહ ઝાલા, ડૉ. બાદી સાહેબ, અમિતભાઈ દેલવાડિયાએ ઉપસ્થિત રહીને પુસ્તક પરબની ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. પંચાસિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ચંદ્રિકાબેન સોલંકીએ પુસ્તક પરબને ૩૫ પુસ્તકો દાન સ્વરૂપે આપ્યાં હતા. વાંકાનેરની એલ.કે.સંઘવી હાઈસ્કૂલના આચાર્ય દર્શનાબેન જાની તરફથી પુસ્તક પરબને નવા પુસ્તકો ખરીદવા માટે ૧૧૦૦ રૂપિયાનું રોકડ સ્વરૂપે દાન આપવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના અનેક વાચકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા.

Back to top button
error: Content is protected !!