સ્વરોજગાર માટે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી બાબત
*સ્વરોજગાર માટે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી બાબત*
*****
સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિને સ્વરોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો- રોજગાર શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર શ્રી વાજપાઈ બેંકેબલ યોજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાબરકાંઠા મારફત અમલીકરણ થાય છે. આ યોજનામાં 18 થી 65 વર્ષ સુધીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા સંબંધિત ધંધાની તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઈએ. અરજદારો નવા એકમ માટે તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે તે બેંકના નિયત કરેલા વ્યાજદરે રૂ. 8 લાખ સુધીની લોન મેળવી શકે છે. જેના ઉપર 20 થી 40 ટકા નિયમ મુજબ મહતમ રૂ. 1,25,000 સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ, શાળા છોડયાનો દાખલો/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો/છેલ્લી માર્કશીટની નકલ. ધંધાને લગતા ભાવપત્રક. ધંધાના સ્થળનો આધાર (લાઇટબિલ/વેરા પહોંચ) જેવા ડોક્યુમેન્ટ સાથે www.blp.gujarat.gov.in પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એમ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગો કેન્દ્ર હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે