GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એન.એસ.એસ. સલાહકાર સમિતિમાં કોમર્સ કોલેજની વિદ્યાર્થિની ને સ્થાન અપાયુ

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એનએસએસ ની આગામી બે વર્ષ માટેની એટલે કે ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ના વર્ષ માટેની સલાહકાર સમિતિમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના બીકોમ સેમ-5 ની એનએસએસની વિદ્યાર્થીની કુમારી હર્ષિતા લક્ષ્મણદાસ ખીમાણીની નિમણૂક કરાઈ છે જે બદલ કુમારી હર્ષિતા સહિત કોલેજ પરિવારે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.કુમારી હર્ષિતાની સલાહકાર સમિતિની નિમણૂકને કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી,સેક્રેટરી કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી ,કોલેજના પ્રિન્સિપાલ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકી સહિત સમગ્ર કોલેજ પરિવારે વધાવી લઈ અભિનંદન પાઠવ્યા છે. કુમારી હર્ષિતા ખીમાણીની સલાહકાર સમિતિમાં નિમણૂક બદલ એનએસએસના યુનિવર્સિટી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડોક્ટર મયંકભાઈ શાહનો પણ વિશેષ આભાર વ્યક્ત કરાયો છે. સાથે સાથે કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે અને તમામ વિદ્યાર્થીઓએ કુમારી હર્ષિતા ખીમાણીને અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!