GUJARATJUNAGADHKESHOD

કેશોદના રંગપુર ગામના અનસુયા આશ્રમ ના અવધુત શ્રી રામપુરી બાપુ નિર્વાણ થતા સેવક સમુદાય અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં ધેરા શોકની લાગણી

કેશોદના રંગપુર ગામના અનસુયા આશ્રમ ના અવધુત શ્રી રામપુરી બાપુ નિર્વાણ થતા સેવક સમુદાય અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં ધેરા શોકની લાગણી

રંગપુર કાલવાણી રોડ પર અનસુયા આશ્રમમાં વર્ષો સુધી ગૌ સેવા નો ભેખ લઈ રામપુરી બાપુ એ અલખ નો આરાધની ધુણી ધખાવીને ભજન કરેલું વર્ષો સુધી મૌન રહી ને અનાજ નું ભોજન નહોતું લિધુ ખુબજ સાધુ સાહી મિજાજ અને ધાર્મિક સિદ્ધાન્ત માં કોઇ બાંધછોડ નહી એમના કડક નિયમોનું પાલન કરી શકો તોજ તમને આશ્રમ માં પ્રવેશ મળી શકે વાત કરીએ તો આખા દિવસમાં બે કલાક માટે આશ્રમ નો ગેટ ખુલ્લો રાખવામાં આવતો બપોર પછી ૩ થી ૫ નો સમય એમાં પણ સુગંધી તેલ અંતર કે સાબુ થી નાહી ને જનાર વ્યક્તિ ને બાપુ એ આશ્રમમાં પ્રવેશ ના કરશો એવો બોર્ડ પણ લગાવેલો આવા ચુસ્ત નિયમો ના આગ્રહી એવા અલખ ના આરાધક અવધુત નું મુળ વતન કે નામ નો કોઇ ને ખ્યાલ નથી છેલ્લા ઘણા વર્ષ થી બાપુ રંગપુર ગામે રહેતા કહેવાય છે કે અજાબ શેરગઢ ના સિમાળે કલીમલહારી બાપુ ની તપોભૂમિ આશ્રમ માં પહેલી વાર રામપુરી બાપુ પધાર્યા હતા ત્યારે કલીમલહારી બાપુ સાથે વાર્તાલાપ થતાં કલીમલહારી બાપુ કહેલ કે અહી થી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરો અને રસ્તે જતાં જમણી બાજુએ નાગ આડો ઉતરે તે જગ્યાએ આપ ગાદી સ્થાપી જગત નું કલ્યાણ સાથે ગૌસેવા નું કાર્ય કરી ને અલખ ને આરાધી માં અનસુયા આશ્રમ નામ આપી ને ધુણી ચેતન કરજો આ રીતે ચાલતા ચાલતા રંગપુર ગામે કાલવાણી રોડ પર જતા જે મુજબ બનાવ બનતા ત્યાં જ ચિપયો ખોડી ને બેસી ગયા પછી ક્યારેય એ જગ્યા છોડી નથી આવા મહાન સંત ની વિદાય થી આખા એ વિસ્તાર શોક માં ગરકાવ થય ગયો સાધુ સંતો ભકત ને સેવક સમુદાય ની હાજરી માં આજે રંગપુર ની મુખ્ય બજાર માં પાલખી યાત્રા નિકલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમાધી આપવામાં આવેલ હતી ધુન ભજન કિર્તન સાથે લોકો એ પુષ્પાંજલિ અર્પી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!