GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ અંગે પોસ્ટર તેમજ પત્રિકા વિતરણ કર્યું.

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મતદારોની દ્રષ્ટિએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે ચૂંટણીનાં મહાપર્વમાં વિશાળ પ્રદેશ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ એક મોટો પડકાર છે પરંતુ ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવા ચૂંટણી પંચ સુસજ્જ છે ગુજરાતમાં પણ એકેય મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય અને નાગરિકો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં સામેલ થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના નેતૃત્વમાં રાજ્ય ચૂંટણી તંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે લોકો મતદાનનું મહત્વ સમજી મહત્તમ મતદાન કરે તે માટે મત જાગૃતિનાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિના આ કાર્યક્રમોમાં જિલ્લા ચૂંટણી તંત્ર, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ સહભાગી બની છે અને લોકોને મતદાનનું મહત્વ સમજાવી રહી છે આવી જ એક સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગર પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની લોકોને મતદાનનું મહત્વ સમજાવી રહ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગરના ભરતસિંહ ચાવડા અને શિવુભા ચાવડા સાથે આ સંદર્ભે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહે તે માટે આ મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનમાં સુરેન્દ્રનગર શહેરના જાહેર સ્થળો, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ જેવા સ્થળોએ મતદાન જાગૃતિના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત લોકો મતદાનનું મહત્વ સમજી વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ પત્રિકા પણ તૈયાર કરવામાં આવી છે લોકોમાં મોટાપાયે આ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગરના આગામી આયોજનો વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં આ અભિયાનને જિલ્લાના તમામ ગામો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ ઉપરાંત સોસાયટી, મહોલ્લા, દૂધમંડળી, સહકારી મંડળી વગેરે જેવા સ્થળોએ લોકો સાથે બેઠક કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવા અને પોતાના વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગર દ્વારા મતદાન જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલી પત્રિકામાં ભારત +રાષ્ટ્ર+ વિધાતા=મતદાતા, હું સશક્ત, સતર્ક, જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ મારો વોટ મારો અવાજ, રાષ્ટ્રહિતમાં મારું મતદાન, ૧૦૦% મતદાન” જેવા સુત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉપરાંત મત આપવા જતી વખતે સાથે રાખવાના દસ્તાવેજો જેવી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગરની આ પ્રવૃત્તિઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે બિરદાવી આ ભગીરથ કાર્યમાં ભાગીદારી નોંધાવવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ તમામ કામગીરીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, સુરેન્દ્રનગરના સંગઠનના હોદ્દેદારો ભરતસિંહ ચાવડા, રણછોડભાઈ કટારીયા, જીગ્નેશભાઈ આલ, શિવુભા ચાવડા, હિતેશભાઈ કણઝરીયા અને મિતરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!