NATIONAL

અનામત ઉમેદવારોને જનરલ સીટ્સ પર પ્રવેશ માટે અધિકાર : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય મેરિટોરીયસ વિદ્યાર્થીઓને મળશે સામાન્ય ક્વોટામાં પ્રવેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય Important decision of SC on Reservation : સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામત સંબંધિત મહત્વનો નિર્ણય આપ્યો છે

સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામત સંબંધિત મહત્વનો નિર્ણય આપ્યો છે, જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ ના એક નિવેદનને રદ કરી દીધું છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટ ના નિર્ણય અનુસાર, સામાન્ય શ્રેણી ની બેઠકો પર અનામત લાભ સાથેના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પલટવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો OBC (ઓબીસી), SC (અનુસુચિત જાતિ) અને ST (અનુસુચિત જનજાતિ) કેટેગરીના વિદ્યાર્થીઓ યોગ્યતા આધારિત સામાન્ય ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર છે, તો તેમને અનામત બેઠકો પર પ્રવેશ ન આપવો યોગ્ય નથી. આ નિર્ણય જેસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે, જેને રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અને અન્ય દ્વારા મુકવામાં આવેલી અપીલ પર આધાર રાખીને લેવામાં આવ્યો છે.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના પહેલાના કેસ પર આધાર રાખે છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ સૌરવ યાદવ અને અન્યને લગતો મામલો સામેલ છે. આ કેસનો સંબંધ મધ્યપ્રદેશની મેડિકલ કોલેજમાં MBBS એડમિશનથી છે, જેમાં અનામત કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ ક્વોટામાં પ્રવેશ આપવામાં ન આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મામલો MBBS સીટ્સ સાથે જોડાયેલો છે, જ્યાં કુલ બેઠકોમાંથી 5% અનામત શ્રેણી માટે અનામત હતી. મધ્યપ્રદેશ શિક્ષણ પ્રવેશ નિયમો 2018 મુજબ, ઘણી અનામત બેઠકો ખાલી રહી ગઈ હતી અને આ બેઠકો સામાન્ય શ્રેણીમાં ખસેડવામાં આવી હતી. અરજીમાં એવી પ્રાર્થના કરવામાં આવી છે કે, સરકારી શાળામાં ભણેલા અનામત કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ સીટ્સ પર પ્રવેશ આપવામાં આવે. પૂર્વે, હાઈકોર્ટમાં કરેલી અરજીઓ ફગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેના કારણે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને સામાન્ય ક્વોટામાં પ્રવેશ માટે અધિકાર મળ્યો છે.

Back to top button
error: Content is protected !!