રાહુલ ગાંધીની સજા ઉપર સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળતા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ
રાજપીપળા : જુનેદ ખત્રી
મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધી ને બે વર્ષની સજા ફટકારી હતી. જેને કારણે રાહુલનું સંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો હતો જે અંગે રાહુલ ગાંધીએ તબક્કાવાર કોર્ટ પ્રોસિજર માંથી પસાર થઈ આજે સુપ્રીમ કોર્ટએ સજા ઉપર સ્ટે હુકમ ફરમાવ્યો છે જેથી નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટે ના હુકમની ઉજવણી કરી ફટાકડા ફોડી સફેદ ટાવર પાસે ઉજવણી કરી હતી મીઠાઈ ખવડાવી હતી મોદી સરનેમ બાબતે વિવાદિત ટિપ્પણી બાદ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરીયાદ કરી હતી જેની આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેથી કોંગી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે