GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરી શરૂ …

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં ધી પ્રોહિબિશેન ઓફ એમ્પ્લોયમેન્ટ એજ મેન્યુઅલ સ્કરવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એકટ-૨૦૧૩ નો અસરકાર રીતે અમલ થાય છે. જે અન્યવે જિલ્લામાં હજી પણ કયાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ થતું હોય તો તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સફાઇ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરી ચાલુ હોવાથી દિન-૦૭ માં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઇન્સ્પેકટર (એસ.આઇ.) અથવા નગરપાલિકા તરફથી નકકી કરેલ કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો. નકકી કરેલ સમયમર્યાદામાં અરજદાર નગરપાલિકા/ગ્રામ પંચાયત કચેરીને રજૂઆત કરવી. નહિ તો ત્યારબાદ પુનઃ સર્વેની કામગીરી કરવામાં આવશે નહિ. આ સર્વેનું હેતુ કોઇપણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઇ કામદારો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોને આ કામગીરીમાંથી મુકત કરવાનો છે. કોઇ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે તેના પુરાવા સાથે નગરપાલિકા/ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. તેમ નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!