આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ રૂ. ૨ લાખની વીમાની રકમ અપાઈ
આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ રૂ. ૨ લાખની વીમાની રકમ અપાઈ
તાહિર મેમણ – આણંદ – 09/05/2025 – આણંદના સરદાર ગંજ ખાતે આવેલી બેન્ક માં પોતાનું ખાતું ધરાવનાર જગદીશભાઈ પ્રજાપતિને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો.
આ વાતની જાણકારી મળતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સરદાર ગંજ બ્રાન્ચ ના મેનેજર રાજીવ મીના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર ૧૫ જ દિવસમાં તેમના વારસદારને આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે રૂપિયા બે લાખનો ચેક મૃતકના વારસદાર અલકેશભાઈ પ્રજાપતિને આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, ખાતેદાર આકસ્મિક કોઈપણ રીતે મૃત્યુ પામે કે અકસ્માતમાં મૃત્યુના સમય પર વારસદારને રૂપિયા બે લાખની વીમાની રકમ મળવા પાત્ર થાય છે, જે રકમ કુટુંબને કામ લાગે છે. જેથી કરીને દરેકે આ પ્રકારનું વીમા કવચ રાખે આજના સમયની તાતી જરૂરીયાત
છે.
આ પ્રસંગે લીડ બેંક મેનેજરે આણંદ જિલ્લાના ૧૮ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે અને આ વીમા યોજનામાં જોડાય તે માટે તેમને તેમણે અપીલ કરી હતી