GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:SSC અને HSC પરીક્ષામા કરૂણેશ વિદ્યામંદિર સગનપુરાના વિદ્યાર્થીઓનુ જ્વલંત અદભુત પરીણામ

 

તારીખ ૦૯/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ – ૨૦૨૫મા લેવાયેલ SSC અને HSC પરીક્ષામા કરૂણેશ વિદ્યામંદિર સગનપુરાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરીણામ લાવીને શાળા,ગામનુ નામ રોશન કર્યુ છે. શાળાના માર્ચ-૨૫મા લેવાયેલ SSC પરીક્ષામા શાળાનુ 96.15% અને HSC પરીક્ષામા શાળાનુ 96.30% પરીણામ આવેલ છે જે ખરેખર કાલોલ તાલુકામા શ્રેષ્ઠ કહી શકાય એમ છે. SSC પરીક્ષામા શાળા કક્ષાએ જાદવ જાનકીબેન ભાવિનભાઇએ 92.36 PR મેળવીને શાળામા પ્રથમ ક્રમ મેળવેલ છે જ્યારે જાદવ પારૂલબેન મુકેશભાઇએ 87.80 PR તથા બારીયા ભુમિકાબેન જયેશભાઇએ 86.74 PR મેળવીને શાળામા ક્રમશ: બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળા તથા ગામને ગૌરવ અપાવ્યુ છે.HSC પરીક્ષામા શાળા કક્ષાએ પરમાર મીનાક્ષીબેન સંજયભાઇએ 99.35 PR મેળવીને શાળામા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે સોલંકી મહાવીરસિંહ અર્જુનસિંહે 98.59 PR તથા ચૌહાણ હરેશ્વરીબેન હર્ષદભાઇએ 97.48 PR મેળવીને ક્રમશ: બીજો તથા ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે જે શાળા તથા ગામ ગૌરવની વાત છે.શાળા મંડળે બોર્ડની પરીક્ષામા શાળાના આ અભુતપૂર્વ દેખાવ બદલ સૌની પ્રસંશા કરતા જણાવ્યુ છે કે શાળાના આચાર્ય તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કરેલ અથાગ શ્રમ અને સુંદર આયોજનને લીધે જ આવુ ઉત્કૃષ્ટ પરીણામ આવેલ છે.શાળા મંડળે સૌની મહેનતને બિરદાવીને સૌને ધન્યવાદ આપતા શાળાના સૌ વિદ્યાર્થીઓને ઉજળા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!