તા.૦૨.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગ્રામ પંચાયતોમાં સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર હોઈ જે – તે ગામના મતદારો/ઉમેદવારોએ પોતાના નામ મતદારયાદીમાં ચકાસી લેવા
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, લીમખેડા, ધાનપુર, સીંગવડ અને દેવગઢ બારીઆ તાલુકામાં તાઃ૦૧.૦૪.૨૦૨૨ થી તાઃ ૩૦.૦૬.૨૦૨૫ સુધીમાં મુદત પુરી થતી/ થયેલી ગ્રામ પંચાયતો, તાઃ ૨૧.૦૨.૨૦૨૫ સુધી વિભાજનથી નવિન અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોની સને-૨૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડાના આધારે થયેલ વોર્ડ સીમાંકન મુજબ તથા તાઃ ૨૧.૦૨.૨૦૨૫ સુધી વિસર્જન થયેલ હોય તેવી મધ્યસત્ર ચૂંટણીની ગ્રામ પંચાયતો અને તાઃ ૨૧.૦૨.૨૦૨૫ સુધી પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ/વોર્ડો/ સરપંચ સહિતની ગ્રામ પંચાયતની તાઃ ૦૧.૦૧.૨૦૨૫ ની સ્થિતિની ગ્રામ પંચાયતો અને તેના વોર્ડ વાઈઝ તૈયાર કરવામાં આવેલ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ આજરોજ કરવામાં આવેલ છે જે ગ્રામ પંચાયતોમાં સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર છે. તે ગામના મતદારો/ઉમેદવારોને પોતાના નામ મતદારયાદીમાં ચકાસણી કરી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે