DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્રનું આગોતરું આયોજન કરવામાં આવ્યું 

તા.૦૩.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્રનું આગોતરું આયોજન કરવામાં આવ્યું

ગત વર્ષે 3 કેસ નોંધાયા હતા(બહાર ગામ થી આવેલ હતા) , જે પૈકી બે ના મોત થયા હતા દાહોદ ગત વર્ષે કેસ નોંધાયા હોય તે વિસ્તારોમાં દવાનો મેલેથીયોન ડસ્ટિંગ કામગીરી કરવામાં આવશે દાહોદ જિલ્લામાં ગત વર્ષે ચાંદીપુરા વાયરલ (એન્કેફેલાઇટીસ) રોગના 3 કેસ નોંધાયા હતા, જે પૈકી બે ના મોત થયા હતા ત્યારે આ વર્ષે અગમચેતીના ભાગરૂપે ચોમાસા પહેલાં જ મે મહિનામાં સંબંધિત વિસ્તારોમાં દવાનો મેલેથીયોન ડસ્ટીંગ કરવા સહિતનાં પગલાં લેવાની તૈયારીઓ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે.સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી ખાસ કરીને ૦ થી ૧૬ વર્ષની ઉંમરના બાળકોને થતા ચાંદીપુરા વાયરસના એન્કેફેલાઈટીસ રોગમાં મગજનો તાવ, ઝાડા-ઉલટી, ખેંચ જેવાં લક્ષણો જોવા મળતાં હોય છે. ગત વર્ષે ચોમાસાના માહોલમાં જૂન-જુલાઈ માસમાં દાહોદ જિલ્લામાં કુલ 3 બાળકો આ વાઈરસની ઝપટમાં આવ્યા હતા ( જે અન્ય જીલ્લા માંથી આવેલ હતા )અને તે પૈકી બે ના મોત થયા હતા ત્યારે ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની સૂચનાથી દાહોદ ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી  ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરાઈ છે. જિલ્લામાં ગત વર્ષે લીમખેડા તાલુકામાં બે, દેવગઢ બારીયા તાલુકામાં એક, કેશ નોંધાયો હતો.જીલ્લાના તમામ લીપણ કરેલા કાચા ઘરોની બહાર તેમજ અંદર ઢોરોને બાંધવાના કોઢ માં ભેજવાળું વાતાવરણ હોવાથી અને નીચે રહેલી ભેજવાળી રેતી અથવા માટી માં તેના ઇંડા લાર્વા કોસેટો રહેલા હોય છે જેથી મેલેથીયોન ડસ્ટિંગની કામગીરી કરવાથી તેમાંથી નીકળતી બાળ સેન્ડફલાય પણ મૃત્યુ પામે તે હેતુસર દાહોદ જીલ્લામાં ત્રણ રાઉન્ડ મેં , જુન, જુલાઈ ની ૧ થી ૧૫ તારીખમાં કામગીરી હાથ ધરી કોઈ બાળકનું મૃત્યુ ન થાય તે અંગેનું આગોતરું આયોજન કરી પ્રથમ રાઉન્ડ ની શરૂઆત કરી દેવામાં આવેલ છે લોકોને પણ આ બાબતે જાગૃતિ કેળવવા આરોગ્ય તંત્ર દ્વારા સૂચનો કરાયાં છે, ચોમાસામાં ચાંદીપુરા વાયરસના ફેલાવાની સંભાવના હોય છે ત્યારે લોકોએ પોતાના રહેણાંક અને કાચાં મકાનોમાં દિવાલોમાં પડેલી તીરાડો પૂરી દેવી, જેવી સાવચેતી રાખવી જરૂરી છે આરોગ્ય કાર્યકર ડસ્ટિંગ કરવા આવે ત્યારે તેમને ડસ્ટિંગ કરવા દેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!