GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવથી ખરીદીનો આરંભ
તા.૨૧/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે હેતુસર ચાલુ વર્ષે રવિ પાકની ઋતુમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવથી ખરીદી તા. ૨૧ એપ્રિલથી શરુ કરાઈ છે. ચણા પાકની ખરીદી ૧૮૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર પ્રમાણે ખેડૂતના વાવેતર વિસ્તારની મર્યાદામાં ખેડૂત દીઠ મહતમ ૧૮૦૦ કિલોગ્રામ પ્રમાણે અને રાયડા પાકની ખરીદી ૧૯૫૦ કિલોગ્રામ પ્રતિ હેકટર પ્રમાણે ખેડૂતના વાવેતર વિસ્તારની મર્યાદામાં ખેડૂત દીઠ મહતમ ૧૩૫૦ કિલોગ્રામ પ્રમાણે થશે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.