GUJARATMEHSANAVIJAPUR

Vijapur : વિજાપુર ના યુવક ગણેશ વિસર્જન વખતે સપ્ટેશ્વર નદી માં ડૂબેલા યુવકની લાશ પેઢામલી થી ચાર દિવસે મળી આવી

વિજાપુર ના યુવક ગણેશ વિસર્જન વખતે યુવકની લાશ પેઢામલી થી ચાર દિવસે મળી આવી
પીએમ માટે હોસ્પિટલમાં લવાયો
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ભાટવાડા માં રહેતા યુવકો ગણપતિ ના વિસર્જન કરવા માટે સપ્તેશ્વર ખાતે ગયા હતા જ્યાં મામો ભાણેજ ગણેશજી ને નદીમાં પધરાવવા ગયા હતા તે સમયે ભાટવાડા નો અનિલ બાબુભાઇ પંચાલ નામનો યુવક ડૂબી જતાં છેલ્લા ચાર દિવસથી શોધખોળ માટે ફાયર વિભાગ અને એસડીઆરએફ ની ટીમ શોધવા માટે કામે લાગી હતી જોકે એજ દિવસે અન્ય એક પ્રાંતિજ નો પણ યુવક ડૂબી ગયો હતો બંને ડૂબી ગયેલા યુવકો ની ફાયર વિભાગ એસડીઆએફ ની ટીમે યુવકો ની શોધ ખોળ માટે અલગ જગ્યાએ શોધવાની શરૂઆત કરી હતી જ્યાં પેઢામલી પાસેથી વિજાપુર ના યુવક અનિલ બાબુભાઇ પંચાલની લાશ મળી આવતા પીએમ માટે તાલુકાની રેફરલ હોસ્પિટલમાં યુવકનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો ભાટવાડા માં રહેતા અનિલ બાબુભાઇ પંચાલ શીંગચણા ની દુકાને નોકરી કરી પરિવાર નો ગુજરાન ચલાવતો હતો તેના મૃત્યુને લઇને પરિવાર જનોએ આધાર સ્થંભ ખોતા ભારે ગમગીની ફેલાઈ હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!