GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વર્કશોપ યોજાયો

તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે પ્રેસિડેન્ટ હોટલ ખાતે વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ તબીબશ્રીઓ જોડાયા હતા. નિવૃત્ત સંયુક્ત નિયામક ડો. આર. આર. વૈદ્ય દ્વારા એક્ટ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ – ૧૯૯૪નું સઘન અમલીકરણ કરવા સૂચન કરાયું હતું આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ, આર.સી.એચ ઓ. ડો. અનિલ શાહ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ રજીસ્ટર્ડ તમામ તબીબઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93

