GUJARAT

વિજાપુર દોશીવાડા ચક્કર વૈધના માઢ તરફ નો રોડ બિસ્માર હાલત મા અવર જવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન

વિજાપુર દોશીવાડા ચક્કર વૈધના માઢ તરફ નો રોડ બિસ્માર હાલત મા અવર જવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર દોશીવાડા ચક્કર વૈદ્યનો માઢ ચિશ્તી વાડા મહા બીબી ફળી વિસ્તાર નો રોડ છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલત મા ખાડા ટેકરા વાળો હોવાથી અહીથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. પાલીકા ને આ બાબત ની વારંવાર રજૂઆત કરવા મા આવી છે. પરંતુ પાલીકા દ્વારા પ્રશ્ન નો નિકાલ કરવામાં આવતો નથી. આ વિસ્તાર ના રહીશો ના જણાવ્યા મુજબ બા માઢ થી દોશીવાડા સુધી રોડ અડધો બનાવી છોડી દેવા મા આવ્યો છે જેને પણ એક વર્ષ થવા આવ્યું પરંતુ આ અડધો રોડ બનાવી છોડી દેવા પાછળ શું કારણ હોઈ શકે તે તંત્ર પાસે વ્યાજબી જવાબ નથી. આ અંગે પાલીકા તંત્ર પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સ્થાનીક રહીશો પ્રથમ ઉભરાતી ગટરો ને રોડ ઉપર ચક્કર સુધી ફેલાઈ રહેલું ગંદુ પાણી નો નિકાલ ના થાય ત્યાં સુધી સ્થાનીક રહીશો રોડ બનવા દેતા નથી જો કે અહીંના સ્થાનીક રહીશો ના જણાવ્યા મુજબ પાલીકા નવીન રોડ બનાવે અને ઉભરાતી ગટર અને પીવાના પાણી ના લિકેજીંગ ના કારણે રોડ તોડવો પડે છે જેથી આ બિસ્માર રોડ સત્વરે બને અને ઉભરાતી ગટરો નો નિકાલ કરી આ રોડ બનાવે તેવી માંગ છે. જો કે અહી દોશીવાડા થી વૈદ્ય ના માઢ જવાના રોડ ઉપર મસ મોટો ખાડો પાલીકા દ્વારા કરવા મા આવ્યો છે. આ ખોડો પણ ઘણા દિવસો થી પુરાયો નથી અવર જવર કરતા વાહન ચાલકો અહી પટકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.આ રોડ બને અને ખાડો સત્વરે પુરાય તેવી સ્થાનીક રહીશો મા માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!