તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૭૨ – વિભાનસભા જસદણ મત વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે રોપા વિતરણની સાથે મતદાનની અપીલ અપીલ કરવામાં આવી હતી. આ રોપાઓ ઉપર ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ તથા દેશ માટે દશ મિનીટ જેવા સુત્રો લખવામાં આવ્યા હતા. મંદિરના પુજારીશ્રીએ પણ ઉપસ્થિતોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન કરવા પ્રેરણા આપી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.