સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વડાલી શહેરથી આશરે સાત થી આઠ કિલોમીટર અંદર નાદરી અને મોરડગામ વચ્ચે અરવલ્લી ગિરિમાળાઓની સાનિધ્યમાં આવેલું મોરઝેર મહાદેવ નું મંદિર બહુ જૂનું અને પુરાણું મંદિર આવેલું છે મળતી માહિતી મુજબ આ જગ્યાએ ગૌમુખ આવેલું છે જ્યાંથી શિયાળો હોય કે ઉનાળો સતત અવિરત પણે ગૌમુખ ગંગા વહે છે અને તરસ્યા માણસો તથા પશુ પક્ષીઓની તરસ છીપાય છે આ જગ્યાનો વર્ષો પુરાણો ઇતિહાસ રહેલો છે તેવું જાણવા મળેલ છે આ એક ચમત્કાર જેવું છે અહીં દર વર્ષે શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રીનો સમય હોય ભજન ઉત્સવ અને મહાપ્રસાદ નો કાર્યક્રમ હોય છે આ વર્ષે પણ અધિક શ્રાવણ માસની અંદર દર સાલની જેમ આ વર્ષે પણ સેવાભાવી સંગઠનો દ્વારા ભજન કીર્તન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હોય અહીં વિરેશ્વર સંતકુટીયાના મહારાજ તુલસીદાસ મહારાજ દશરથરામ મહારાજ ધુળા રામ મહારાજ વગેરે દ્વારા સંતવાણી નો ની સરવાણી કરવામાં આવશે હજારો સંખ્યાની ભીડમાં દૂર દૂરથી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો અને સંતો પણ આ લહાવાનો લાભ લેતા હોય છે અરવલ્લીની ગીરી કંદરાઓમાં આવેલું આ સુંદર અને રમણીય સ્થળ લીલી લીલી વનરાઈઓ ખીલી હોય છે ત્યારે અહીંનો લહાવો લેવો એક અનેરૂ આકર્ષણ હોય છે વડાલી 10 કિલોમીટર આવેલું ડુંગર વચ્ચે મોરઝેર મહાદેવ મંદિર
અહેવાલ કિરણ ડાભી. ખેડબ્રહ્મા. સાબરકાંઠા
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.