મેઘરજ તાલુકામાં મંદિરમાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ : કોરોના કાળ પછી વિધાર્થીઓ એ વર્ગખંડ જોયો જ નથી..! જર્જરિત વર્ગખંડો નોનયુઝ કર્યા પછી ચાર વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છતાં નથી બન્યા વર્ગખંડો
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં મંદિરમાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ : કોરોના કાળ પછી વિધાર્થીઓ એ વર્ગખંડ જોયો જ નથી..! જર્જરિત વર્ગખંડો નોનયુઝ કર્યા પછી ચાર વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છતાં નથી બન્યા વર્ગખંડો
સરકારે નવી શિક્ષણનીતિ ને લઈ વિવિધ સુધારાઓ કર્યા છે અને ખાસ કરીને પ્રાથમિક શાળામાં ચાલતા સ્કૂલોને એક નવું સ્વરૂપ આપવા માટે એક્સલન્સ સ્કૂલ વિવિધ તાલુકામાં ઊભી કરવામાં આવી છે અને અધ્ધતન સુવિધાઓ વાળી સ્કૂલો જિલ્લાના તાલુકાઓની અંદર પૂરી પાડવામાં આવી રહી છે સ્માર્ટ ક્લાસ પણ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ બધી બાબતો વચ્ચે સત્ય હકીકત કંઈક અલગ જ છે જેમા જર્જરિત ઓરડાઓને નોન્યૂઝ કર્યા પછી પણ સમય વિતવા છતાં નવીન નથી બની રહ્યા ત્યારે તેની અસર વિધાર્થીઓના ઘડતર પર થાય તો નવાઈ નહીં. એવીજ એક ઘટના છે મેઘરજ તાલુકાની એક પ્રાથમિક શાળાની
મેઘરજ તાલુકામાં નવાગામ (કસાણા) ખાતે આવેલ ગોધાફળિયા ઉચ્ચતર પ્રાથમિક શાળા જ્યાં ધોરણ 1 થી 8 સુધીની શાળા આવેલ છે. હાલ કુલ 120 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમા ધોરણ 1 થી 5 માં કુલ 60 વિધાર્થીઓ અને ધોરણ 6 થી 8 માં કુલ 60 વિધાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ નવાઈની વાત એ છે કે છેલ્લા 4 વર્ષથી ધોરણ 6 થી 8 ના 60 બાળકો ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં એક સાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આ બાબતે મળતી માહિતી અનુસાર શાળામાં 4 જેટલા વર્ગ ખંડો જર્જરીત હોવાના કારણે પાડી દેવામાં આવ્યા હતા અને બાળકોને સંખ્યાને ધ્યાનમાં રાખી 3 નવીન વર્ગખંડ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ આ વર્ગખંડો છેલ્લા 4 વર્ષથી નવીન બન્યા જ નથી જેના કારણે વિદ્યાર્થીઓ ને ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બેસીને એક સાથે અભ્યાસ તેમજ પરીક્ષા પણ એક સાથે આપીવી પડે છે. તંત્રની બેદરકારી ને લઇ હાલ વિધાર્થીઓને મુશ્કેલી વેઠવાના વારો આવ્યો છે. વિકાશીલ ગુજરાતની આવી દયનીય હાલત જોતા હજુ પણ કેટલીક શાળાઓમાં આવીજ પરિસ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં..! કહેવાય છે કે બાળકનું ઘડતર એ એના વર્ગખંડમાં થતું હોય છે પરંતુ અહીં વર્ગખંડો જ નથી બનતા ત્યારે તંત્ર સામે આ એક સળગતો સીધો સવાલ ઉભો થાય છે. બાળકો માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી એ ખૂબ જરૂરી છે.
આ બાબતે જિલ્લા શિક્ષણ DPEO સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બાળકો કોરોના સમય પછી ત્યાજ જ અભ્યાસ કરે છે અને 3 વાર ટેન્ડર થયું પરંતુ કોઈ ભરતું નથી , તેમજ મેઘરજમાં ટેન્ડર કોઈ ભરતું નથી અને આ શાળાનુ નવીન ટેન્ડર ભરાઇ ગયેલ છે ટેન્ડર 4 તારીખે ક્લોઝ થયુ છે અને ઝડપથી કામ થઈ જશે તેમ જણાવ્યું હતું
ધારાસભ્ય પી સી બરંડા દ્વારા માંગેલી માહિતી અનુસાર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષક વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મેઘરજ તાલુકામાં પ્રાથમિક શાળામાં ખૂટતા ઓરડા મંજુર કરવા બાબતે રજૂઆત કરતા માહિતી પ્રાપ્ત થઈ હતી જેની અંદર મેઘરજ તાલુકામાં કુલ નવીન 171 ખંડો મંજૂર થયેલ છે જે પૈકી 61 બાંધકામ પૂર્ણ થયેલ છે 51 વર્ગખંડોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે બાકી રહેતા વર્ગખંડોનું ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે 267 વર્ગોનું રીપેરીંગ કામ મંજુર થયેલ છે જે પૈકી 118 વર્ગખંડો નું મરામત કામ પૂર્ણ થયેલ છે 58 વર્ગ ખંડો નું મરામત કામ પ્રગતિ હેઠળ છે બાકી રહેતા વર્ગખંડો ના મરામત માટે ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી