NATIONAL

મહાકુંભમાં નવો રેકોર્ડ, 6 દિવસમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી

ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમમાં આસ્થાથી ઓતપ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સ્નાનાર્થીઓ અને ગૃહસ્થોના સ્નાને નવો રેકોર્ડ સર્જ્યો છે. 11થી 16 જાન્યુઆરીની વચ્ચે માત્ર છ દિવસની અંદર અત્યાર સુધી સાત કરોડથી વધુ લોકોએ સંગમ અને અન્ય ઘાટો પર પુણ્યની ડૂબકી લગાવી દીધી છે. અનુમાન છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો પુણ્યની ડૂબકી લગાવશે.

11 જાન્યુઆરીએ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું તો 12 જાન્યુઆરીએ 65 લાખ લોકોના સ્નાન કરવાનો રેકોર્ડ રચ્યો. આ રીતે મહાકુંભથી બે દિવસ પહેલા જ રેકોર્ડ એક કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સ્નાન પર્વ પર 1.70 કરોડ લોકોએ સ્નાન કરીને રેકોર્ડ સર્જ્યો. મકર સંક્રાંતિ અમૃત સ્નાનના અવસર પર 3.50 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. આ રીતે મહાકુંભના પહેલા બે દિવસોમાં 5.20 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી.

આ સિવાય 15 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા દિવસે 40 લાખ લોકોએ સ્નાન કર્યું. ગુરુવારે પણ 30 લાખથી વધુ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કરીને પુણ્ય ફળની પ્રાપ્તિ કરી. સ્નાન ઉપરાંત શ્રદ્ધાળુ પ્રયાગરાજથી શ્રદ્ધાળુ શ્રૃંગેવરપુર, ચિત્રકૂટ, વારાણસી, મા વિંધ્યવાસિની ધામ, નૈમિષારણ્ય, અયોધ્યા પણ શ્રદ્ધાળુ પહોંચી રહ્યાં છે. આ વિસ્તારોમાં પહોંચવાથી સ્થાનિક રોજગારને પણ ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. 13, 14 અને 15 જાન્યુઆરીએ શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, મા વિંધ્યવાસિની ધામ, નૈમિષારણ્ય અને અયોધ્યામાં દર્શન-પૂજન કરવા પહોંચ્યા. અયોધ્યામાં ત્રણ દિવસમાં લગભગ 10 લાખ, કાશી વિશ્વનાથ મંદિરમાં 7.41 લાખ, વિંધ્યવાસિની ધામમાં 5 લાખ અને નૈમિષારણ્ય ધામ સીતાપુરમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં.

આ મહાકુંભ સમગ્ર દુનિયાને એકતા, સમરસતા અને માનવતાનો મોટો સંદેશ આપી રહ્યું છે. જાતિ, સંપ્રદાય તથા અછૂતનું બંધન નથી. આ સિવાય અહીં અન્નક્ષેત્રમાં ચાલી રહેલા ભંડારોમાં અમીર ના ગરીબ, તમામ એક જ પંગતમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. જાતિ-ધર્મનું કોઈ અંતર નથી.

મહાકુંભ આસ્થાની સાથે પ્રદેશ અને દેશની અર્થવ્યવસ્થા પણ સુદ્રઢ કરી રહ્યું છે. ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે. મહાકુંભ આવનાર બીજા રાજ્યો અને વિદેશના શ્રદ્ધાળુ તથા પર્યટક અયોધ્યા, વારાણસી, નૈમિષારણ્ય, ચિત્રકૂટ, વિંધ્યાચલ અને મથુરા પણ જઈ રહ્યાં છે. તેનાથી ટૂર એન્ડ ટ્રાવેલ્સ, હોટલ અને રેસ્ટોરન્ટ સેક્ટરની સાથે રેલવે અને પરિવહન નિગમને લાભ થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથમાં ત્રણ દિવસમાં પહોંચેલા 7.41 લાખથી વધુ શ્રદ્ધાળુકાશી વિશ્વનાથ મંદિરમાં ત્રણ દિવસમાં 7.41 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. જ્યાં 13 જાન્યુઆરીએ 2.19 લાખ, 14 જાન્યુઆરીએ 2.31 લાખ અને 15 જાન્યુઆરીએ 2.90 લાખથી વધુ દર્શન કરવા પહોંચ્યા.

વિંધ્યવાસિની ધામમાં 5 લાખ અને નૈમિષારણ્ય ધામમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. પ્રયાગરાજથી અયોધ્યા પહોંચી રહેલા શ્રદ્ધાળુ રામનગરીમાં સતત શ્રદ્ધાળુઓની ભીડ પહોંચાડી રહ્યાં છે. જય શ્રીરામના જયકારા સાથે અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓની આસ્થાથી સમગ્ર નગરી રામમય થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથના આદેશ પર જિલ્લા તંત્ર દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. લગભગ 10 લાખથી વધુ શ્રદ્ધાળુ ત્રણ દિવસમાં અયોધ્યા પહોંચ્યા છે.

Back to top button
error: Content is protected !!