BHUJGUJARATKUTCH

ભુજ ખાતે મધુમેહ, હરસ-મસા-ભગંદર અને મેદસ્વિતા માટે નિદાન-સારવાર-સલાહ તથા સિનિયર સીટીઝન કેર કેમ્પનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૧ જુલાઈ : નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત નિ:શુલ્ક મધુમેહ નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ તથા હરસ-મસા-ભંગદર નિદાન સારવાર કેમ્પનું તા. ૨ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦નો રહેશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કેમ્પમાં ડાયાબીટીસની નિ:શુલ્ક આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય તથા યોગ દ્વારા સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબીટીસ તથા હરસ-મસા-ભગંદરની આયુર્વેદિક/હોમિયોપેથીક ઔષધીય સારવાર તથા આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મેદસ્વિતા (જાડાપણુ) માટે સારવાર સલાહ પણ આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધીય સારવાર આપવામાં આવશે એમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!