BANASKANTHAPALANPUR

શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો  

3 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલ દિયોદર તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠામાં ધોરણ – ૧૦ શુભેચ્છા સમારોહ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજાઈ ગયો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી આ કાર્યક્રમમાં આ સંસ્થાના ચેરમેન શ્રી પ્રવિણસિંહ વાઘેલા સાહેબ અને હાઇસ્કૂલના આચાર્યશ્રી બારોટ સાહેબ આ પ્રસંગમાં ઉપસ્થિતિ રહી નિવૃત્ત થતાં ક્લાર્ક શ્રી હેમંતભાઈ ગમાર અને સેવક સોમાભાઈ પુરનીયાને શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય, ઇચ્છિત ધેય પ્રાપ્ત કરે અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ અને માર્ગદર્શન શાળાના શ્રી એ પી ભાટી તથા કે એસ ત્રિવેદીએ પૂરું પાડ્યું. શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ બારોટે પોતાની શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપી આશિર્વાદ અને શુભેચ્છા પાઠવી એસએસસી અને એચએસસીના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અંતે શિક્ષકોએ પણ બાળકોને શુભેચ્છા અને આશિર્વાદ આપ્યા. આ પ્રસંગમાં મહાનુભાવો ઉપસ્થિતી બદલ શાળાના શિક્ષક શ્રી આર બી જોષી તેમજ એન કે મજીરાણાએ શાળા પરિવાર વતી તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!