ખોપી ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

ખોપી ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 104.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 40;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
જન સુખાકારી સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો
સાગબારા તાલુકાના ખોપી પ્રાથમિક શાળામાં ભવ્ય જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો, સરકારી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણી માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ચૈતર વસાવા, એમ.એમ. વસાવા (તાલુકા વિકાસ અધિકારી, સાગબારા), નીતિન મકવાણા (મામલતદાર, સાગબારા), અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, ડૉ. દયારામ વસાવા (ચેરમેન, જાહેર આરોગ્ય સમિતિ, નર્મદા જિલ્લા પંચાયત), ગિરધનભાઈ વસાવા (સદસ્ય, જિલ્લા પંચાયત), જગદીશભાઈ વસાવા (પ્રમુખ, સાગબારા તાલુકા પંચાયત), તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




