TAT-TETની પરીક્ષા પાસ કરી નોકરીની રાહ જોતા યુવાઓએ ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની મુલાકાત લીધી.
TAT-TETની પરીક્ષા પાસ કરનાર યુવાઓની કાયમી ભરતી કરવાની રજૂઆતને આમ આદમી પાર્ટી પૂરો સપોર્ટ કરે છે: ઈસુદાન ગઢવી
આગામી વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટી જ્ઞાન સહાયકનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે: ઈસુદાન ગઢવી
156ની ભાજપ સરકારે કાયમી ભરતીની જગ્યાએ 11 મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને TAT-TETની પરીક્ષા પાસ કરનાર યુવાઓના સપના તોડવાનું કામ કર્યું છે: ઈસુદાન ગઢવી
ફક્ત યુવાઓ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ ભાજપ સરકારથી ખૂબ જ નારાજ થયા છે: ઈસુદાન ગઢવી
ગુજરાતની અહંકારી ભાજપ સરકાર વર્ષોથી કોન્ટ્રાક્ટરમાં માનનારી સરકાર છે: ઈસુદાન ગઢવી
જો 2024 માં ભાજપ ફરીથી જીતી જશે તો કદાચ ચિકિત્સા વીર નીતિ પણ આવી શકે: ઈસુદાન ગઢવી
યુવાનોને આંદોલન કે ધરણા કરવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. યુવાઓને ડિટેન કરવામાં આવે છે, તેમના પર ખોટા કેસ કરવામાં આવે છે અને તેમના પરિવારને હેરાન કરવામાં આવે છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
એક બાજુ હજારો વિદ્યાર્થીઓ TAT-TETની પરીક્ષા પાસ કરીને નોકરીની રાહ જોઈ રહ્યા હતા અને બીજી બાજુ ગુજરાતની યુવા વિરોધી ભાજપ સરકારે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવાનો નિર્ણય લીધો. આનાથી બધા જ પાસ થયેલા યુવાઓના સપના પર પાણી ફરી વળ્યા અને તેઓ આજે પોતાની વેદના રજુ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા. આ યુવાઓએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી અને ઈસુદાન ગઢવીએ તેમની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ મુદ્દે યુવાઓ સાથે ઉભી રહેશે એની ખાતરી પણ આપી.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકારે જ્ઞાન સહાયક નીતિ લાવીને કાયમીની જગ્યાએ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે TAT-TETની પરીક્ષા પાસ કરનાર યુવાઓએ અમારી સમક્ષ રજૂઆત કરી હતી અને પોતાની પીડા વર્ણવી હતી. વર્ષો સુધી મહેનત કરીને તેઓએ પોતાના માટે ખુબ જ સપના જોયા હતા. સાથે સાથે આ આવનાર સમયમાં ભારતના નવનિર્માણ માટે પોતાના બાળકોને ભણાવી ગણાવીને તૈયાર કરવાના સપના પણ તેમણે જોયા હતા. પરંતુ 156ની ભાજપ સરકારે તેમના સપના તોડીને 11 મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ ફક્ત યુવાઓ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ ભાજપ સરકારથી ખૂબ જ નારાજ થયા છે.
ગુજરાતના લોકોએ ખોબલે અને ખોબલે ભાજપને મત આપ્યા હતા પરંતુ ગુજરાતની અહંકારી ભાજપ સરકાર વર્ષોથી કોન્ટ્રાક્ટરમાં માનનારી સરકાર છે. ફિક્સ પે ની નીતિ હોય, આઉટસોર્સિંગની નીતિ હોય, કેન્દ્રની અગ્નિવીર નીતિ હોય, ત્યાર બાદ હવે શિક્ષાવીરની નીતિ લઈને આવ્યા છે. જો 2024 માં ભાજપ ફરીથી જીતી જશે તો કદાચ ચિકિત્સા વીર નીતિ પણ આવી શકે. માટે અમારી માંગણી છે કે જ્ઞાન સહાયકની આ કોન્ટ્રાક્ટ પદ્ધતિની નીતિ રદ કરવામાં આવે.
અંગ્રેજોના સમયમાં મહાત્મા ગાંધીને પણ આંદોલન કરવાની છૂટ આપવામાં આવતી હતી, પરંતુ આ યુવાનોને આંદોલન કે ધરણા કરવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. યુવાઓને ડિટેન કરવામાં આવે છે, તેમના પર ખોટા કેસ કરવામાં આવે છે અને તેમના પરિવારને હેરાન કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી આવી કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડે છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી યુવાઓની રજૂઆત છે અને આ રજૂઆતને આમ આદમી પાર્ટી પૂરો સપોર્ટ કરે છે અને આગામી વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટી જ્ઞાન સહાયકનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠાવશે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.