MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા બાર એસોસિએશન દ્વારા વકીલ સાથે ગેરવર્તણુંક કરતા આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર તાલુકા બાર એસોસિએશન દ્વારા વકીલ સાથે ગેરવર્તણુંક કરતા આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોર્ટમાં વકીલાત કરતા વકીલ પોલીસ મથકે પોતાના અસીલ માટે ની માહિતી લેવા ગયા હતા તે સમયે તપાસ કરતા પીએસઆઇ એ વકીલ ને પોલીસ મથકે કેમ આવ્યા છો કહીને અસભ્ય વર્તન બીભત્સ શબ્દો નો પ્રયોગ કરી કાઢી મૂકી ગેરવર્ણતુંક કરતા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન નુ ભંગ કરવા બાબતે વકીલ મંડળ પોલીસ મથકે પોહચી પીઆઇ ને પીએસઆઇ ના વિરોધમાં આવેદનપત્ર સુપ્રદ કરી કાયદેસર ના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે આ અંગેની મળતી માહિતી મૂજબ કોર્ટમાં ફોજદારી વકીલાત કરતા જુનેદખાન પઠાણ પોતાના અસીલ માટે કાનૂની માહીતી માટે પોલીસ મથકે ગયા હતા તે સમયે તપાસ કરતા પીએસઆઈ જે એલ બોરીચા મળ્યા હતા તે સમયે વકીલ જુનેદખાન સાથે તમે કેમ આવ્યા છો કહીને બહાર નીકળી જવાનું કહી હાથ પકડી ધક્કો મારીને બહાર કાઢી મૂકી અપમાનિત કરી સુપ્રીમ કોર્ટના ગાઈડ લાઈન નો ભંગ કરતા વકીલ મંડળ દ્વારા પીએસઆઇ જે એલ બોરીચા ના વિરોધ માં કોર્ટના કામકાજ થી અળગા રહી વિરોધ દર્શાવી પીઆઇ વનરાજ સિંહ ચાવડા ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું અને પીએસઆઇ જે એલ બોરીચા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ની માંગ સાથે આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું વકીલનો હાથ પકડી ધક્કો મારીને બહાર કાઢી મૂકવા ની ઘટના ને પગલે સમગ્ર વકીલ મંડળ ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે આ બાબતે પીએસઆઇ જે એલ બોરીચા નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુકે વકીલ સાથે અગાઉ ઘણી વખત કેસોના મામલે મુલાકાત થઈ છે તેઓ આવ્યા ત્યારે કોઈ રીતે અપમાનિત કર્યા નથી જેનો અહી મૂકેલા સીસી કેમેરા માં જોઈને ખ્યાલ આવશે વકીલ આવ્યા હતા વાતચીત દરમ્યાન ફક્ત વાતચીત ની દલીલો થઈ છે પણ હાથ પકડી ધક્કો માર્યો નથી અહીં મૂકેલા સીસી કેમેરા ઉપર થી હકીકત મળી આવશે તેના સિવાય મારે કઈ નથી કહેવું જયારે વકીલ મંડળ ના અગ્રણી સિનિયર વકીલ અશોકભાઈ બારોટે પીઆઇ વનરાજ સિંહ ચાવડાને રજૂઆત કરતા જણાવ્યું હતુંકે નવ લોહિયા પોલીસ કર્મચારીઓ પણ બારોબાર કેસો માટે મન મેળ રાખતા હોય તેવા વકીલનું નામ આપી સાંઠગાંઠ રાખતા હોય છે તે પણ હકીકત છે તો તેની ઉપર પણ અંકુશ રાખવો જરૂરી છે અને વકીલ સાથે કોઈ પીએસઆઇ ગેરવર્તુણુંક કરે તે પણ વખોડવા લાયક છે જેથી હવે ફરી આવી ઘટના ના બને તે માટે દાખલો બેસાડી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!