સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને છ વિષયના નવીન અપેક્ષિત સેટનું વિતરણ કર્યું
5 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં આજરોજ શ્રી વસંતભાઈ કાંતિલાલ મિત્રાએ પોતાના સ્વર્ગસ્થ માતા-પિતા સ્વ. કાંતિલાલ સોમાલાલ બાદરપુરીયા અને સ્વ. ગંગાબેન કાંતિલાલ બાદરપુરીયાની યાદમાં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના ધોરણ 10 ના જરૂરિયાતમંદ 31 વિદ્યાર્થીઓને આવનાર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં અભ્યાસમાં ઉપયોગી થાય એવા ધોરણ 10 ના મુખ્ય વિષયો ગુજરાતી,ગણિત,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી અને સંસ્કૃતના નવનીત અપેક્ષિતના 31 સેટનું વિતરણ કર્યું. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ શ્રી વસંતભાઈ કાંતિલાલ મિત્રાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને આવનાર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ આ પુસ્તકોનું વાંચન કરીને એસ.એસ.સી. બોડૅની પરીક્ષામાં જવલંત પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.