DAHOD

દાહોદના ૩૩ દર્દીઓને ન્યુટીશન કિટનું વિતરણ ટીબી મુક્ત ભારત અભિયાન

તા.14.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ટીબી મુક્ત ભારત અભિયાન દાહોદના ૩૩ દર્દીઓને ન્યુટીશન કિટનું વિતરણ

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ટીબીના કુલ ૩૩ દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું

પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે

યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દત્તક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયા ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્રારા કુલ ૩૩ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી અને તેમણે દર્દીઓને દત્તક લીધા હતા આ કાર્યક્રમમા રેટીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિલભાઈ માવી, જીલ્લા ક્ષય અઘિકારી ડૉ. આર. ડી. પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, મેડીકલ ઓફીસર ડૉ કિંજલ નાયક , આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!