તા.૧૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૪૮૦૦ લીટર દારૂનો નાશ કરાયોઃપ્રોહીબીશનના પાંચ ગુના દાખલ કરાયા
Rajkot: રાજકોટમાં જાહેર શાંતિ અને સલામતીની જાળવણી માટે કાર્યરત પોલીસ દ્વારા કુબલીયાપરા વોકળા વિસ્તારમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અંગે રાજકોટ પોલીસ દ્વારા પ્રોહિબિશનની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવમાં સ્થળ પર તપાસ હાથ ધરાતા પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો.
આ ખાસ પ્રોહિબિશનની ડ્રાઇવ દરમિયાન ૩૨૦ ડબ્બા એટલે કે લગભગ ૪૮૦૦ લીટર દારૂ ગાળવાનો વોશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે પ્રોહીબિશનના કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવેલ હતા.
આ ડ્રાઈવમાં પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ, પી.એસ.આઇ. આર.આર.સોલંકી તથા થોરાળા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.