NARMADATILAKWADA

રેંગણ ગામ નજીક નર્મદા ઘાટ ખાતે પરિક્રમા વાસીઓને ખડે પગે આરોગ્ય સુવિધા પહોંચાડતા તિલકવાડા આરોગ્ય કર્મીઓ

રેંગણ ગામ નજીક નર્મદા ઘાટ ખાતે પરિક્રમા વાસીઓને ખડે પગે આરોગ્ય સુવિધા પહોંચાડતા તિલકવાડા આરોગ્ય કર્મીઓ

તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા રેંગણ ગામ નજીક નર્મદા ઘાટ ખાતે 250 થિ વધુ પરિક્રમા વાસીઓને ટ્રીટમેન્ટ પુરી પાડવામાં આવી

રિપોર્ટર વસિમ મેમણ તિલકવાડા


હાલ પંચકોશી મા નર્મદા ની પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરવા માટે ભારત દેશના ખુણે ખુણેથી મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવી રહ્યા રહ્યા છે અને ઘણીવાર આ પરિક્રમા વાસીઓ પદ યાત્રા કરતા વખતે ડી હાઇડ્રેશન નો શિકાર બનતા હોય છે અથવા ઘણીવાર ચક્કર આવીને પડી જતા હોય છે જે માટે તિલકવાડા આરોગ્ય વિભાગ તરફથી રેંગણ ગામ નજોક નર્મદા ઘાટ ખાતે આરોગ્ય લક્ષી સુવિધા ઉપલબ્ધ કરીને ખડે પગે સેવા આપવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે હાલ માં નર્મદાની પંચકોષી પરિક્રમા ચાલી રહી છે સમગ્ર ભારત દેશમાં માત્ર આ જ વિસ્તાર છે જ્યાં નર્મદાની પંચકોષી પરિક્રમા થાય છે આ પરિક્રમા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે અને હાલ ભારે ગરમી હોવાને કારણે કેટલાક પરિક્રમા વાસીઓને ડી હાઈડ્રેશન અમે શરીર માં દુખાવાના કેશ જોવા મળી રહ્યા છે આવા દર્દીઓ માટે તિલકવાડા આરોગ્ય વિભાગના તરફથી વહેલી સવારથી જ રેંગણ ગામ નજીક નર્મદા ઘાટ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. દરમિયાન ગરમીના કારણે કેટલાક પરિક્રમા વાસીઓને ડીહાઇડ્રેશન અને શરીરમાં દુખાવાના કેસો જોવા મળ્યા હતા જેમાં તિલકવાડા આરોગ્ય કર્મીઓ દ્વારા 167 જેટલા દર્દીઓને ORS આપવામાં આવ્યું તથા 60 જેટલા દર્દીઓને શરીરમાં દુખાવો થતા નર્મદા ઘાટ ખાતે ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી હતી ઉપરાંત 02 દર્દી બેભાન થઈ ગયા હોવાથી તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરી વધુ ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!