પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થનાસભામાં અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મતદાન તા. સાતમી મેના રોજ યોજાનાર છે. જેમાં મહત્તમ મતદારો મતાધિકાર ભોગવીને ચૂંટણીમાં સહભાગી બને, તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે સ્વીપ નોડલ ઓફિસરની આગેવાનીમાં (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અંતર્ગત મતદાર સાક્ષરતા / જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થના સભામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ૧૨૫ થી વધુ લોકોને સાતમી મે ના રોજ થનાર ચૂંટણીમાં વોટ આપવા માટે મતદાર શપથ લેવડાવવામાં આવ્યા. મતદાન કરવા તથા કરાવવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહીના પર્વને ગર્વ સાથે ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી. સાથે જ જે લોકોના મતદારયાદીમાં નામ નથી તેમને મતદારયાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા અને ફોર્મ નંબર ૬ ની પણ સમજ આપવામાં આવી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.