GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ

તા.૨/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આજીડેમ ચોકડી, ઢેબર રોડ, વોર્ડ નં ૫ સહિત વિસ્તારોના રસ્તાઓનુ સમારકામ કરાયુ

Rajkot: ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ તુરંત રીપેર કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ શરૂ કરાયુ હતુ. જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા મહાનગરપાલિકા દ્રારા રસ્તાઓનુ સમારકામ કરવામા આવી રહ્યુ છે. ત્યારે તા.૨ સપ્ટેમ્બરના રોજ આજીડેમ ચોકડી, ઢેબર રોડ, વોર્ડ નં ૫, સોરઠીયાવાડી સર્કલ, જુના મોરબી રોડ સહિત વિસ્તારોના રસ્તાઓનુ સમારકામ કરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા જોવા મળી રહી હતી.

દૂરદરાજના ગ્રામિણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકો માટે મહત્વનો નિર્ણય કરી વરસાદ રોકાયા બાદ તૂટેલા રસ્તાઓનુ સમારકામ ઝડપથી કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી. રાજકોટ જિલ્લામા પણ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમા તૂટેલા રસ્તાઓનુ સમારકામ કરવામા આવી રહ્યુ છે.

Back to top button
error: Content is protected !!