Rajkot: રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની ટીમે રૂ.૪.૭૪ લાખના ૩૦ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા
તા.૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ડી.સી.પી.ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવાએ લોકોને સાઈબર ફ્રોડથી સાવધ રહેવા માર્ગદર્શન આપ્યું
Rajkot: રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની ટીમે સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી રૂપિયા ૪.૭૪ લાખની કિંમતના ૩૦ મોબાઈલ વિવિધ માલિકોને પરત કર્યા હતા.
રાજકોટમાં ગુમ તેમજ ચોરી થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને અનુલક્ષીને, પ્રદ્યુમન નગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સાઈબર ટીમે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે સી.ઈ.આઈ.આર. પોર્ટલ પર સતત મોનિટરિંગ કર્યું હતું. તેમાં ટ્રેશ થયેલા મોબાઈલ શોધી કાઢવા પોલીસની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. આ કવાયતમાં ૪,૭૪,૦૦૪ રૂપિયાની કિંમતના કુલ ૩૦ જેટલા મોબાઈલ ફોન શોધીને હસ્તગત કરવામાં આવ્યા હતા. એ પછી ગતરોજ રાજકોટના નાયબ પોલીસ અધિક્ષકઝ ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર-પશ્ચિમ વિભાગ સુશ્રી રાધિકા ભારાઈના હસ્તે આ માોબાઈલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર શ્રી જગદીશ બાંગરવાએ આજકાલ વધી રહેલા સાઈબર ફ્રોડ તથા ચોરીના બનાવો વિશે લોકોને માહિતગાર કરીને માર્ગદર્શન આપ્યું હતું.
આ કામગીરી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બી.એમ. ઝણકાત, તથા પી.આઈ. શ્રી પી.આર. ડોબરિયા, એ.એસ.આઈ. શ્રી સી.એમ.ચાવડા તથા સુશ્રી નગ્માબેન શેખ, સુશ્રી જેસલબેન મોરી, શ્રી અરવિંદભાઈ ઝાપડીયા, શ્રી મહેન્દ્રભાઈ વાળા દ્વારા કરવામાં આવી હતી.