GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી કરુણા એમ્બ્યુલન્સના સાત વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ
કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૭ વર્ષમાં ૧૫૯૮૫ જેટલા અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૭ વર્ષમાં ૧૫૯૮૫ જેટલા અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા”
નવસારી જિલ્લાના સિટી એરિયા માટેની EMRI Green health services ની કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને ૦૬ ઓકટોબર-૨૦૨૪ ના રોજ ૭ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ૭ વર્ષમાં અબોલ અને બિનવારસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી કુલ ૧૫૯૮૫ જેટલા પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યા હતાં.
<span;>આ અવસરે નવસારી જિલ્લાનાં ડી.એ.એચ.ઓ. શ્રી એમ.સી.પટેલના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડો.સાઉલ પટેલ તથા પાયલોટ સ્ટાફ મહેશભાઈ ચોહાણ, પ્રદીપ ભાઈ અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ અને તાલુકાના ડોક્ટર સાથે રહીને ૭ વર્ષ પુરા થયાની કેક કાપી ઉજવણી કરવા



