GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સદ્દભાવના વૃધ્ધાશ્રમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે વડીલોને ભોજન પીરસાયુ

તા.૨૩/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના સીધા માર્ગદર્શન હેઠળ સદ્દભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલોને ભોજન કરાવી કેક કાપવામાં આવી હતી.

રાજ્યના ખેડૂતો માટેની અગ્રગણ્ય અને શૂન્ય ટકા એન.પી.એ. ધરાવતી ખેતી બેંક દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે જીલ્લા ડીરેકટરશ્રી હરદેવસિંહજી ટી. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૩૫ આશ્રિતો માટે મિષ્ટાન્ન સહિતના ભોજનની વ્યવસ્થા કરી કેક કાપીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!